Search for products..

Home / Categories / Gujarati Books /

Jorasankor Dhare (જોડાસાંકોર ધારે)

Jorasankor Dhare (જોડાસાંકોર ધારે)

Condition: Used - Very Good

Select Condition *


badge
badge
badge

Product details

  • Condition Note: no pen/pencil marks

 

About the Book:

સંભારણાં, જેટલાં સુખનાં એટલાં જ દુ:ખનાં. મારા મનનાં એ બંનેની આ બધી વાતોને મારી શ્રુતિધરી શ્રીમતી રાણી ચંદે અહીં આ લખાણમાં ઝીલી-ઝડપી લીધી છે, એટલે એ માટે જે કંઈ પ્રાપ્ત થવાનું હોય તેનો અધિકાર એમનો જ છે.

સુખની વાતોને લખાણમાં ઝીલવી-ઝાલવી એ સહજ નથી. એ લગભગ પવનને જાળમાં પકડવા જેવું વિકટ કામ છે. એટલે આ લખાણમાં જો કંઈ દોષ રહી ગયા હોય તો તેની જવાબદારી મારી છે.

જન્માષ્ટમી: બંગાબ્દ ૧૩૫૧ — અવનીન્દ્રનાથ ઠાકુર સન: ૧૯૪૪

 

ભારતીય કલાના પુનરુત્થાનના પ્રતિભાવંત પ્રણેતા અને નંદલાલ બસુ, અસિતકુમાર હલધર, મુકુલ ડે, દેવીપ્રસાદ રાયચૌધરી જેવા સમર્થ કલાગુરુઓના ગુરુ શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરનાં કલાજીવનનાં સંભારણાં.

અવનીન્દ્રનાથ ઠાકુર માત્ર ચિત્રકલાના સ્વામી નથી. રૂપકથા, કલાવિવેચન, લોકસાહિત્ય, સંસ્મરણો એમ વિવિધ ક્ષેત્રોમાં એમની લેખિની વિહરી છે અને બંગાળી વાડ્મયને અનન્ય ચીજો સાંપડી છે. ‘જોડાસાંકોર ધારે’ એ એમણે કહેલાં અને જાણીતાં કલાકાર શ્રીમતી રાણી ચંદે લખેલાં સંસ્મરણોનું પુસ્તક છે.

 

  • Author: Avanindranath Thakur
  • Publisher: Navajivan Sāmprat
  • Language: Gujarati
  • Format: Paperback
  • ISBN: 9789393527400

Similar products


Home

Cart

Account